29 Jul
પ્રેગ્નેન્સી પ્લાનિંગ સમયે શારીરિક સબંધમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
- શારીરિક સબંધ રાખવા સમયે સાંજનું જમવાનું થોડું વહેલું જમી લેવું જોઈએ એટલે કે સબંધ રાખવાના 2-૩ કલાક પહેલા જમી લેવું જોઈએ.
- શારીરિક સબંધ સમયે પેટ વધારે ભરેલું કે ખાલી પણ ન હોવું જોઈએ તેમજ તરસ પણ ન હોવી જોઈએ અને મળ પેશાબ પણ લાગેલા ન હોવા જોઈએ.
- આ ઉપરાંત શારીરિક સબંધ પહેલા ભાઈએ ખીર, દુધની બનાવેલી વાનગી, બાસુંદી ખાવી જોઈએ અને સ્ત્રીએ અડદની દાળ અને તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ અથવા અડદના દાળના બનેલા વડાનો ઉપયોગ કરી શકાય છે.
- આ ઉપરાંત શારીરિક સંબંધ પહેલા પતિ અને પત્નીની માનસિક સ્થિતિ જેવી કે આખા દિવસના કામથી કંટાળેલા ન હોવા જોઈએ, કોઈ પ્રકારની પીડા કે વેદના ન હોવી જોઈએ, ગુસ્સો કે અભિમાન ન હોવું જોઈએ તેમજ એકદમ ભયભીત પણ ન હોવા જોઈએ, નબળા મનોબળને ન હોવા જોઈએ તેમજ આખા દિવસની કામકાજથી પારિવારિક વાતાવરણ પણ STRESSFULL ન હોવું જોઈએ.
- ચરક્સહિંતા અનુસાર સમાગમ દરમિયાન પતિ અને પત્નીની માનસિક સ્થિતિ પ્રસન્ન હોય તે ભાવ ખુબજ અગત્યનો છે અને આવું વાતાવરણ બને તે માટે પતિ અને પત્ની બંનેએ શારીરિક સંબંધ પહેલા એક બીજા માટે સમય ફાળવવો જોઈએ જેમકે, તેમના માટે જમ્યા પછી થોડું ચાલી શકાય, થોડી વાતો કરી શકાય અને પરસ્પર સંગીત પણ સાંભળી શકાય છે.
- આ ઉપરાંત શારીરિક સંબંધ રાખતા પહેલા પતિ- પત્ની બંનેએ શિયાળાની ઋતુમાં ગરમ હુંફાળા પાણીથી અને ઉનાળાની ઋતમાં શીતળ પાણીથી સ્નાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સ્નાન કરવાથી મન પ્રસન્ન થાય છે તેમજ પ્રફુલ્લિત બને છે અને શરીરની ચોખ્ખાઈ જળવાઈ રહે છે.
- બેડરૂમ(સંયમકક્ષ) કેવો હોવો જોઈએ ?
- બેડરૂમ વિશાળ, સ્વસ્થ તેમજ હવાની અવર જવર થાય તેવો તેમજ સુશોભિત અને સુંદર દેખાય તેવો હોવો જોઈએ.
- સંયમકક્ષમાં હળવું મ્યુઝીક સંભળાતું હોય તેમજ થોડી સુંગંધ આવે તે માટે ખુલ્લો રાખી શકાય તેમજ જે પણ પાથરણ છે તે LIGHT COLOUR માં અથવા મનને ગમે તેવા COLOUR માં રાખવા જોઈએ અથવા દીવાલ પરના ચિત્રો, કુદરતી ચિત્રો, મહાપુરુષોના જીવનચરિત્રો અથવા સુંદર બાળકોના ચિત્રો પણ દીવાલ પર લગાવી શકાય છે.
પ્રેગ્નેન્સી પ્લાન કઈ ઋતુમાં કરવું જોઈએ ?
- સામાન્ય રીતે કોઈપણ ઋતુમાં સબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે છે પરંતુ શિયાળાની તેમજ ચોમાસાની ઋતુમાં વાતાવરણ પણ સારુ હોય અને મન પ્રફુલ્લિત રહે છે તેમજ માનસિક સ્થિતિ પણ સારી રહે છે. આ ઋતુમાં પ્રેગનેન્સી રહેવાથી બાળક આરોગ્યપ્રદ રહેતું હોય છે તેથી આ ઋતુમાં પ્રેગનેન્સી પ્લાન કરી શકાય છે.
માસિકચક્ર અનુસાર માસિકના કયા દિવસોમાં સંબંધ રાખવાથી પ્રેગનેન્સી રહી શકે ?
- સામાન્ય રીતે જે પણ બહેનોને ૩૦ દિવસે માસિક આવતું હોય છે તેમણે ૧૦ માંથી ૨૦માં દિવસની વચ્ચે એકાતરા અથવા રોજે સબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે છે.
શારીરિક સબંધ રાખતી વખતે કપડામાં ધ્યાન રાખવા જેવી બાબતોમાં….
- પતિ-પત્ની જે પણ કપડા પહેરે તે સ્વચ્છ, સુગંધીદાર, ખુલ્લા અને સુતરાઉ કાપડના અથવા ગરમી થાય તેવા ન હોવા જોઈએ તેમજ આછા અને મનને ગમે તેવા રંગોના હોવા જોઈએ.
- ગર્ભસંસ્કારની દ્રષ્ટીએ જોઈએ તો…
- મો માં લવિંગ અથવા મુખવાસ લઇ શકાય.
- ચરકસહીતા અનુસાર આવનારું બાળક સારા સંસ્કારો સાથે જન્મે તે માટે પતિ-પત્ની બંનેએ શ્લોક બોલવાનો હોય છે…
ઓમ અહિરસ આયુરસ સર્વત:પ્રતિષ્ઠાસિ |
ધાતા ત્વામ દધાતું વિધાતા ત્વામ દધાતું બ્રહ્મવર્ચસા ભવેતિ |
બ્રહ્મા બૃહસ્પતિ: વિષ્ણુ: સૌમ સૂર્ય તથા અશ્વિનો |
ભગો અથ મિત્રા વરૂણો વિરં દદ્તું મેં સુતમ ||
હે ગર્ભ! તું સૂર્ય સમાન થા ! તું સર્વત્ર પ્રતિષ્ટિત થા!
ધાતા ( બધાને ધારણ કરનાર ઈશ્વર) તારી રક્ષા કરે.
વિધાતા ( વિશ્વને બનાવનાર) તારી રક્ષા કરે. તું બ્રહ્મતેજથી યુક્ત એવો તેજસ્વી બન.
અર્થાતું બ્રહ્માં બહસ્પતી. વિષ્ણુ, સોમ, સૂર્ય, અશ્વિનીકુમારો અને મિત્રા વરુણ-
દરેક મને વીર પુત્રપ્રદાન કરવો…
- શ્લોક બોલવાથી આપના બાળકમાં ગર્ભસંસ્કારની દ્રષ્ટીએ સારા સંસ્કારો આવે તે માટે આ શ્લોક બોલવો જોઈએ.
શારીરિક સંબંધ સમયે કઈ સેક્સ પોઝીશન હોય જેમાં પ્રેગ્નેન્સી રહેવાની વધારે શક્યતા હોય છે?
- તેમાં મિશનરી પોઝીશન કે જેમાં પત્ની નીચે હોય અને પતિ ઉપર હોય તે પોઝીશનમાં સૌથી વધારે પ્રેગ્નેન્સી રહેવાની શક્યતાઓ હોય છે. આ સિવાય અન્ય કોઈપણ પદ્ધતિ કે જેમાં અંગનું પૂરેપૂરું PENETRATION થતું હોય યોનીમાર્ગમાં અને વીર્ય પૂરેપૂરું યોનીમાં જતું હોય તેમાં પ્રેગ્નેન્સી રહેવાની શક્યતાઓ વધારે હોય છે.
- કેટલીકવાર કેટલાક દંપતીઓ ફરિયાદ કરતા હોય કે વીર્ય બહાર નીકળી જાય છે પરંતુ અમુક વીર્યનો પાણીનો ભાગ જ યોનીમાંર્ગની બહાર નીકળતો હોય છે. બાકી તેમાં રહેલા શુક્રાણુંમાં કે જેનાથી પ્રેગનેન્સી રહેવાની શક્યતા છે તે કુદરતી રીતે જ ગર્ભાશયમાંથી નળીમાં જતા રહે છે, જેથી શારીરિક સબંધ પછી વીર્યનો પાણીનો ભાગ નીકળી જાય તેમાં ચિંતા કરવાની જરૂર નથી.
શારીરિક સંબંધ રાખ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- વીર્ય યોનીની બહાર ન નીકળી જાય તે માટે ૧૦-૧૫ MINUTE સુઈ રહેવું જોઈએ અથવા કમરની નીચે તકિયો રાખીને પણ સુઈ શકાય, આ ઉપરાંત યોનીના અંદરના સ્નાયુ સંકોચી શકાય અથવા પેઢુના ભાગ પર ઠંડા પાણીની કોથળી મૂકી શકાય છે, ત્યારબાદ યોનીની આજુબાજુ પાણીથી સાફ કરી શકાય છે અને અંદરના ભાગમાં કોઇપણ પ્રકારના દ્રવ્યથી કે CHEMICALથી સાફ ન કરવું. આ ઉપરાંત પુરુષે પણ પોતાના PRIVATE ભાગને સફાઈ કરવી જોઈએ, પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા કેટલાક દર્દીઓમાં શારીરિક સંબંધ રાખતા સમયે સ્ત્રીને શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા નથી થતી અથવા યોનિમાર્ગ સુકો રહે અથવા બળતરા થાય છે તેવી ફરિયાદ કરતા હોય છે, તેનું મુખ્ય કારણ એ છે કે શારીરિક સંબંધ રાખવા સમયે યોનીમાં ચિકાસ જેવું દ્રવ્ય ઉત્પન્ન થાય તો જ શારીરિક સબંધ સરળતાથી રાખી શકાય છે, સ્ત્રીમાં ચિકાસ જેવો દ્રવ્ય ત્યારે જ ઉત્પન્ન થાય છે, જયારે તેને સંબંધ રાખવાની ઈચ્છા થાય, શારીરિક સંબંધની ઈચ્છા ઉત્પન્ન કરવા માટે પહેલા પરસ્પર પ્રેમ અથવા હુંફાળું વાતાવરણ ઉત્પન્ન કરવું ખુબજ જરૂરી છે, તેના માટે પરસ્પર વાતો કરવી તેમજ શરીરના અન્ય અંગો જેમકે હોઠ, સ્તન, સાથળના વચ્ચેના ભાગમાં યોનીની આસપાસ સ્પર્શ કરવાથી સબંધ રાખવાની ઈચ્છા ઉત્પન્ન કરી શકાય છે અને ત્યારબાદ જયારે યોની ચિકાસ જેવી થાય ત્યારે સંબંધ રાખવો જોઈએ.
- આ બધા જ પ્રયત્ન કરવા છતા યોનિમાર્ગ શુષ્ક રહે છે, બળતરા થાય છે તો LUBRICANT JELLYનો ઉપયોગ કરી શકાય છે પરંતુ GYNECOLOGYની સલાહ અનુસાર જ જેલીનો ઉપયોગ કરવો જોઈએ કેટલીક જેલીઓ SPERMICIDAL JELLY હોય છે, એટલે કે JELLY નો ઉપયોગ કરવાથી શુક્રાણુઓ DEATH થઇ જતા હોય છે, તો તેના કારણે પણ પ્રેગ્નેન્સી નથી રહેતી તેથી યોનીમાં જયારે પણ શુષ્કતા લાગતી હોય અથવા ખંજવાળ આવતી હોય ત્યારે જેલીનો ઉપયોગ કરવો હોય ત્યારે GYNECOLOGY ની સલાહ અનુસાર જ કરવો જોઈએ.
No Comments